વનસ્પતિમાં પ્રજનન (ધોરણ 7 પાઠ.12)

REPRODUCTION  IN PLANTS  

         

 વનસ્પતિમાં પ્રજનન (ધોરણ 7 પાઠ.12 )    VIDEO જોવા CLICK કરો


 IMPORTANT POINTS

* બધા જ સજીવો તેમના જેવા જ સજીવો ઉત્પન્ન કરે છે.


* વનસ્પતિમાં લિંગી પ્રજનન અને અલિંગી બે પ્રકારના પ્રજનન જોવા મળે છે.


* અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ જેવી કે અવખંડન,કલિકાસર્જન, બીજાણુ સર્જન અને 
  વાનસ્પતિક પ્રજનન છે.

 

* લિંગી પ્રજનન નર અને માદા પુંજન્યુઓના ફલનની પ્રક્રિયાને સમાવિષ્ટ છે.







* વાનસ્પતિક પ્રજનનમાં વનસ્પતિના વાનસ્પતિક ભાગો જેવા કે મૂળ,પ્રકાંડ અને પર્ણ જેવા

  જુદા જુદા  ભાગોમાંથી નવો છોડ ઉદભવે છે.


* વનસ્પતિનું પ્રજનન અંગ પુષ્પ છે.


* પુષ્પ એ એકલિંગી હોઈ શકે છે જેમા નર પ્રજનન ભાગ અથવા તો માદા પ્રજનન ભાગ હોઈ શકે છે.


* દ્વિલિંગી પુષ્પમાં નર અને માદા એમ બંને પ્રજનન અંગ હોય છે.


* પુજન્યુઓ પરાગરજમાં જોવા મળે છે જ્યારે માદા જન્યુઓ અંડકમાં જોવા મળે છે.


* પરાગનયનની પ્રક્રિયા એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું એજ પુષ્પ અથવા 

  અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપન થવાની પ્રક્રિયા છે.


* પરાગનયન બે પ્રકારનું જોવા મળે છે. સ્વપરાગનયન અને  પરપરાગનયન. 

  સ્વપરાગાનયનમાં પરાગરજ  એક જ પુષ્પનાં પરાગાશયમાંથી પરાગાસન પર સ્થાપિત થાય છે.        પરપરાગનયનમાં,પરાગરજ એક પુષ્પના પરાગાશયમાંથી બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે.


* પરાગનયનની પ્રક્રિયા પવન,પાણી અને કીટકો દ્વારા થાય છે. 


* નરજન્યું અને માદા જન્ચુના સંયુગ્મનની પ્રક્રિયાને ફલન કહે છે.


* ફલન પામેલ અંડકોષને ફલિતાંડ કહે છે. ફલિતાંડ ભ્રૂણમાં પરિણમે છે.


* પરિપક્વ અંડાશય એ ફળમાં પરિણમે છે જ્યારે અંડક એ બીજમાં ફેરવાય છે જેમાં વિકસતો 

  ગર્ભ / ભ્રૂણ આવેલો છે.


* બીજના ફેલાવાની પ્રક્રિયા પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા થાય છે.


* બીજના ફેલાવો વનસ્પતિને આ રીતે ઉપયોગી છે :

   (i) વધુ ગીચતા અટકાવે છે. 

   (ii) પ્રકાશ, પાણી અને ક્ષારોની સ્પર્ધા અટકાવે છે. 


   (iii) નવી વસવાટોનું નિર્માણ કરે છે.


* ભીંડા જેવા છોડમાંથી સૂકા ફળના બીજનો ફેલાવો દૂર દૂર સુધી  થાય  છે.


ધોરણ 7 વિજ્ઞાન પાઠ.12 સ્વાધ્યાયનાં પ્રશ્નોત્તર CLICK HERE TO DOWNLOAD  






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Maths Facts - ગણિત વિશે રસપ્રદ અને મજેદાર તથ્યો